શુક્રવાર, જૂન 2, 2023
Homeલેખપૈસા સાથે જોડાયેલી આ વાતો હંમેશા યાદ રાખો, પૈસાની અછત ક્યારેય નહીં...

પૈસા સાથે જોડાયેલી આ વાતો હંમેશા યાદ રાખો, પૈસાની અછત ક્યારેય નહીં થાય


જો વ્યક્તિ પાસે પૈસા છે અને તે તેનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી, તો તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ જો પૈસા સાથે જોડાયેલી આ વાતો હંમેશા યાદ રાખવામાં આવે તો વ્યક્તિનું જીવન સુખ-સમૃદ્ધિ સાથે પસાર થાય છે.

આચાર્ય ચાણક્ય, મહાન રાજકારણી અને અર્થશાસ્ત્રી, તેમના નીતિ શાસ્ત્રમાં માણસને વધુ સારું જીવન જીવવાની ઘણી રીતો વિશે જણાવે છે. આચાર્ય ચાણક્યએ વ્યક્તિના અંગત જીવન, મિત્રો, સંબંધીઓ, વેપાર, નોકરી, સંપત્તિ વગેરેને લગતી બાબતોને ઊંડાણપૂર્વક સમજાવી છે. તેમજ ચાણક્યની નીતિ અનુસાર જો કોઈ વ્યક્તિ પૈસા વાળા થયા પછી કે હોય ત્યારે તેનો યોગ્ય ઉપયોગ કરે છે તો તેના પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. તો ચાલો જાણીએ પૈસા સાથે જોડાયેલી કઈ કઈ મહત્વની બાબતો છે જે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ…

1. તમારા પોતાના ફાયદા માટે કોઈને છેતરશો નહીં : ચાણક્ય નીતિ કહે છે કે જે વ્યક્તિ સ્વાર્થી બનીને પોતાના ફાયદા માટે બીજાને છેતરે છે તેને ક્યારેય માં લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી. ધનલાભ અને પોતાના ફાયદા માટે કોઈની સાથે છેતરપિંડી કરવી એ ખૂબ જ ખરાબ બાબત છે. તેથી, જો તમે જીવનમાં દુઃખી ના થવા માંગતા હોય તો એવા દુર્ગુણ છોડી દો.

2. પૈસા માટે લોભી ન બનો : લોભ એક ખરાબ શક્તિ છે, તમે આ વાત સાંભળી જ હશે. ચાણક્ય નીતિ એ પણ જણાવે છે કે જે લોકો પૈસાના લોભી છે, તેઓ ક્યારેય સુખ અને સંતોષ મેળવી શકતા નથી. સાથે જ તેઓ માનસિક રીતે પણ પરેશાન રહે છે. તેથી જો માતા લક્ષ્મીની કૃપા જોઈતી હોય તો કોઈ પણ વસ્તુનો લોભ ન રાખવો.

3. આયોજન ખર્ચ : ચાણક્ય નીતિ અનુસાર ક્યારેય પણ બિનજરૂરી ખર્ચ ન કરવો જોઈએ. પૈસાનો ઉપયોગ ફક્ત જરૂરી કામ માટે અને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવો એજ યોગ્ય છે. જો તમે તમારા પૈસા બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચો છો, તો પછી તમારે બીજાની સામે હાથ ફેલાવવા પડી શકે છે, જેના કારણે તમારે આર્થિક તંગી સર્જાય છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular